Our Mentor Shri Kumarpalbhai V. Shah

Welcome to Jain Alert Group Of India

About Our Mentor Kumarpalbhai V. Shah

આ ઇતિહાસ નથી વર્તમાન છે... આજીવન સેવાના ભેખધારી, જિનશાસન રત્ન, પ્રાણી મીત્ર એવા કુમારપાળભાઈ વી. શાહનો જન્મ વિજાપુર, ગુજરાતમાં 16 નવેમ્બર 1945 ના રોજ થયો હતો. વિજાપુરથી ફોફલવાડી, ગુલાલવાડી મુંબઇ અને કલિકુંડની ધન્ય ધરાને પોતાની કર્મભૂમિ બનાવી... 27મી મે 1964ના રોજ ગ્રીષ્મકાલીન શિબિરમાં ફુંકાયેલ પ્રચંડ વાવાઝોડાને તેમણે પોતાના અપૂર્વ સંકલ્પ અને અતુટ શ્રધ્ધાથી શાંત કર્યુ... સાથે સાથે જીવન પર્યંત માનવતા, પરોપકાર અને જિનશાસન સેવાના અવિરત કાર્યો શરૂ કર્યા... લગભગ 21 વર્ષની ઉંમરથી શરૂ થયેલ પરમાર્થતા આજે 80 વર્ષ પર્યંત અવિરત ચાલુ છે.

બાંગ્લાદેશ ના શરણાર્થીઓની સેવા હોય, કાલહાંડી (ઓરીસ્સા)ના ત્રસ્ત જીવો હોય, મચ્છુ ડેમ (મોરબી), હોનારતના અસરગ્રસ્ત પરિવારો હોય, લાતુર (મહારાષ્ટ્ર)ના ભુકંપ પીડીત પરિવારો હોય, કચ્છ ભુકંપના ત્રાહીમામ જીવો હોય, સુરત પૂરના અસર ગ્રસ્ત પરિવારો, આંધ્રપ્રદેશના વાવાઝોડામાં ત્રાહીમામ જીવો, બનાસકાંઠાના પૂરના ઘરવિહોણા અનેક પરિવારો, ટોટે વાવાઝોડાના અસર ગ્રસ્ત જીવો હોય કે કોરોનાના કાળમાં દુઃખી પરિવારો હોય, આ સૌની સેવા અને સાધર્મિક ભક્તિ તેમના દ્વારા થયેલા અપ્રતિમ માનવસેવા તથા પ્રાણી સેવાના કાર્યો છે.

સંઘહીતચિંતક, સિધ્ધાંત સંરક્ષક પ.પૂ.આ.દેવ શ્રી વિજય ભૂવનભાનુ સૂરીશ્વરજી મહારાજાએ તેમનામાં રહેલ વિરલ, વિશુધ્ધ અને વિશિષ્ટ સંભવાનાઓને આશિર્વાદ અને ઘડતર કરી જિનશાસન, સમગ્ર સમાજ તથા રાષ્ટ્રને એક અણમોલ સમર્પિત શ્રાવકની ભેટ આપી... અત્યાર સુધીમાં લગભગ 500 થી વધુ જિનમંદિરોના નિર્માણ થયા, 300 થી વધુ ઉપાશ્રયો / વિહારધામો થયા, 50 થી વધુ જીવદયા તિર્થ (પાંજરાપોળ)ના નિર્માણ થયા, લાખો પશુઓને અભયદાન આપ્યુ. કરોડોં કુદરતની આફતના પીડીતોના આંસુ લુછાયા, લાખો સાધર્મિક પરિવારોની તકલીફો દુર કરી... આવા પરોપકારના પ્રતિક કુમારપાળભાઇ વી. શાહને નતમસ્તક વંદન..

About


શ્રી કુમારપાળભાઇ વી. શાહની જીવન જીવવાની રીત :

  • નામના નહી, પ્રશંશા નહી, તકતી નહી.
  • કોઇ ઉદગાટન નહી, સમારંભ નહી.
  • જય જય કાર, બહુમાન નહી.
  • બેંક એકાઉન્ટ નહી.
  • પ્રેસમીટ નહી.
  • ફંડ-ફાળો નહી.
  • પ્રચાર, પ્રચાર, વાહ વાહ નહી.
  • AC નો ઉપયોગ નહી, LIFT નો વપરાશ નહી, AIR TRAVEL નહી, રાત્રે મુસાફરી નહી.

શ્રી કુમારપાળભાઇ વી. શાહના જીવનમાંથી શિખવા જેવુ :

  • ક્યારેય કોઇની બાદબાકી નહી.
  • કાર્યને બોલવા દેવું, વાત ઓછી, કાર્ય વધારે કરવુ.
  • અછત, અભાવ અને આફત સમયે દોડી જવું.
  • સાંભળવુ વધુ, પ્રેમ વધુ આપવો, અપેક્ષા ન રાખવી.
  • રોજ એક (ઓછામાં ઓછુ) સામાયિક કરવું.
  • પોતાના કાર્યકરોનું ખુબ જ ધ્યાન રાખવું.
  • સમય મળે ત્યારે સ્વાધ્યાયમાં રહેવું.

શ્રી કુમારપાળ વી. શાહના સોનેરી સુત્રો :

  • પરોપકાર એ જિનશાસનનું આસન છે, ત્યાં જ પરમાત્માનું આસન છે.
  • કર્મઠ કાર્યકરને નામની આંકાક્ષા નહીં, અપમાનનો ડર નહીં.
  • સ્વાધ્યાય વગર સેવા અધુરી છે.
  • પરોપકાર એ સુવાસ ફેલાવતો બગીચો છે.
  • અનુકંપાનું કામ કરનારને આનંદનો ઓડકાર આવે છે.
  • આપણી પાસે અપેક્ષા રાખનારની ઉપેક્ષા કરવી નહી. તન-મન-ધન થી વચન થી પણ નહી.
  • પરોપકાર જેવુ પેઇન કીલર બીજુ કાંઇ નથી.
  • પ્રસિધ્ધિ અને પ્રશંસા પતન ના ધ્વાર છે.
  • સદ્ ગતિનો માર્ગ સત્કાર્યથી શરૂ થાય છે.
  • અછત, અભાવ અને આફત સમયે દોડી જવુ તે પરોપકારની સાચી વ્યાખ્યા છે.
  • કરૂણા જ્યારે અનુકંપાની આંગળી પકડીને ચાલે છે ત્યારે પરોપકારની શરૂઆત થાય છે.
  • કોઇ કોઇને સુખ આપવુ તે નહી પણ કોઇનું દુઃખ દુર કરવું એ સાચો ધર્મ છે.
  • પરોપકાર એ પ્રવૃત્તી નહી પણ પ્રકૃત્તી અને શુષ્ટ્રિનું નજરાણું છે.